જાણો ક્યારથી શરૂ થઈ રહ્યો છે કારતક મહિનો, આ રીતે તુલસીની પૂજા કરશો તો માતા લક્ષ્મી કરશે ધનની વર્ષા

Rate this post

કારતક માસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે. જો કે દરેક ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે, પરંતુ કારતક મહિનામાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને તુલસીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે કારતક મહિનો 29 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને કારતક માસ ખૂબ જ પ્રિય છે.

આ જ કારણ છે કે આ મહિનો શરૂ થતાની સાથે જ તુલસી માતાની પૂજા સંપૂર્ણ વિધિ સાથે શરૂ કરવામાં આવે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે કારતક મહિનામાં તુલસીજીની કેવી રીતે પૂજા કરવામાં આવે છે અને પૂજા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને દેવીનો દરજ્જો મળ્યો છે. આ એક એવો છોડ પણ છે, જેના ગુણધર્મો અને ઉપયોગિતાનું સંપૂર્ણ વર્ણન ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે.

તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. એટલા માટે તુલસીની નિયમિત પૂજા કરવી જોઈએ. પરંતુ ઘણી વખત તુલસીની પૂજા કરતી વખતે કેટલીક એવી ભૂલો થઇ જાય છે જેનો આપણને અંદાજ હોતો નથી.  કારતક મહિનામાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને તુલસીજીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

After sunset light a lamp near Tulsi and chant the mantra with the eight names of Tulsi | સૂર્યાસ્ત બાદ તુલસી પાસે કરો દીવો અને તુલસીના આઠ નામવાળા મંત્રનો કરો જાપ -

તેથી જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા નાણાકીય સમસ્યાઓ તમને સતત પરેશાન કરી રહી છે તો કારતક મહિનામાં તુલસીની પૂજા કરો. એવું કહેવામાં આવે છે કે આ કરવાથી તમને સમસ્યાઓથી છુટકારો મળશે.

  • કારતક મહિનામાં તુલસીજીને જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં દરરોજ સવારે ઉઠીને સ્નાન કરીને તુલસીને જળ ચઢાવો.
  • એવું કહેવાય છે કે કારતક મહિનામાં તુલસીજીને જળ અર્પણ કર્યા પછી સાંજે ઘીનો દીવો પ્રગટાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ મહિનામાં તુલસીજી અને શાલિગ્રામના લગ્ન પૂર્ણ વિધિથી થાય છે.

મહત્વ/ તુલસીના પાંદડા તોડવા પહેલા જાણી લો આ નિયમો, નહિ તો થઇ શકે છે નુકસાન - GSTV

  • એવું કહેવાય છે કે કારતક મહિનામાં દરરોજ સવારે અને સાંજે તુલસીજી પર દીપક પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે. દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે તુલસી પર દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે તુલસીના કુંડા પર સ્વસ્તિક ચિન્હ બનાવો.
  • તુલસી પર દીવો કરતી વખતે આ મંત્રનો જાપ કરો. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદમ, શત્રુ બુદ્ધિ વિનાશય, દીપ જ્યોતિ નમોસ્તુતે.

Sharing Is Caring:

Leave a Comment